આજે આસામ-બંગાળના પ્રવાસ પર PM મોદી, હુગલીમાં કરશે રેલી, 1 મહિનામાં ત્રીજો પ્રવાસ
Breaking

PM મોદી 22 ફેબ્રુઆરીએ એક મહિનામાં ત્રીજી વખત બંગાળ પહોંચશે. હુગલી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. હલ્દિયા બાદ PM મોદીની આ બીજી પબ્લિક રેલી છે.

  • આજે આસામ-બંગાળના પ્રવાસ પર PM મોદી
  • PM મોદી 22 ફેબ્રુઆરીએ એક મહિનામાં ત્રીજી વખત બંગાળ પહોંચશે
  • આસામ અને પશ્વિમ બંગાળમાં થનારી વિધાનસભાની ચૂંટણીને લઈને પાર્ટીઓનો પ્રચાર અભિયાન શરૂ

નવી દિલ્હી: આસામ અને પશ્વિમ બંગાળમાં થનારી વિધાનસભાની ચૂંટણીને લઈને પાર્ટીઓએ પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. એક તરફ, જ્યાં TMCએ તાજેતરમાં જ બંગાળમાં ચૂંટણી પ્રચારની સત્તાવાર શરૂઆત કરી હતી, બીજી તરફ PM મોદી એક મહિનામાં ત્રીજી વખત 22 ફેબ્રુઆરીમાં બંગાળની મુલાકાતે પહોંચશે, પરંતુ PM મોદી બંગાળ ગયા પહેલા આસામ જશે, જ્યા સવારે 11:30 વાગ્યે કેટલીયે પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાનનો આ કાર્યક્રમ આસામના શીલાપથ્થર ધેમાજીમાં થશે.

બંગાળના હુગલીમાં PMની જાહેર સભાને લઈને તૈયારીઓ શરૂ

આ સાથે જ બંગાળના હુગલી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. હલ્દિયા પછી વડાપ્રધાનની આ બીજી જાહેર રેલી છે. PM મોદી 23 જાન્યુઆરીએ બંગાળની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ PM સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ પર આયોજિત એક કાર્યક્રમમાં બંગાળ આવ્યા હતા.

વડાપ્રધાન પશ્ચિમ બંગાળ માટેની ઘણી રેલવે યોજનાઓને લીલી ઝંડી આપશે

આ રેલી પ્રખ્યાત ડનલપ ટાયર ફેક્ટરી ગ્રાઉન્ડ પર થવાની છે. અહીં બે મંચ બનાવવામાં આવ્યા છે, એક જાહેર રેલી માટે અને બીજું સરકારી કાર્યક્રમ માટે. સરકારી કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન પશ્ચિમ બંગાળ માટેની ઘણી રેલવે યોજનાઓને લીલી ઝંડી આપશે. આમાંના સૌથી અગ્રણી બારાનગર સ્ટેશનથી નવાપાડા સુધીની મેટ્રોનો શુભારંભ.

PM મોદીએ ટ્વિટ કરીને હુગલી મેટ્રો સેવાના વિસ્તારને લઈને જાણકારી આપી

PM મોદીએ ખુદ ટ્વિટ કરીને હુગલી મેટ્રો સેવાના વિસ્તારને લઈને જાણકારી આપી હતી. તેમણે ટ્વિટ કરતાં કહ્યું કે, "નવાપાડાથી દક્ષિણેશ્વર સુધીની મેટ્રો રેલ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ યોજના તદ્દન વિશેષ છે. આ પ્રોજેક્ટથી પવિત્ર કાલી માતા મંદિર સુધીની મુસાફરીમાં સરળતા રહેશે" બીજા એક ટ્વિટમાં તેમણે લખ્યું, તમને એ જાણીને આનંદ થશે કે બારાનગર અને નવાપાડા સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આનાથી લોકોને મદદ મળશે.

જીતને જાળવી રાખવાના પ્રયાસમાં PM દ્વારા જાહેર સભાનું આયોજન

ચાલો આપણે જાણીએ કે હુગલી જિલ્લામાં વડાપ્રધાનની બીજી રેલી કરવા પાછળ ઘણા કારણો છે. સૌથી અગત્યનું કારણ એ છે કે, હુગલી જિલ્લાની ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ઘણું જ સારુ હતુ. 2019 લોકસભા ચૂંટણીમાં હુગલી બેઠક પર બીજેપીની લોકેટ ચેટર્જીએ જીત મેળવી હતી. આવી સ્થિતિમાં જીતને જાળવી રાખવાના પ્રયાસમાં વડાપ્રધાનની જાહેર સભા દ્વારા રાખવામાં આવી છે.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.