
જોશીમઠ કુદરતી આફતને આજે 16 દિવસ થઈ ગયા છે પરંતુ બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. રાહત બચાવ કામગીરીમાં સામેલ એજન્સીઓ દ્વારા અત્યાર સુધીમાં 68 મૃતદેહો મળી આવ્યા છે. ત્યારે વાયુસેના અને નેવી દ્વારા ગ્લેશિયર તળાવની ઊંડાઈ માપવામાં આવી હતી.
- ચમોલી દુર્ઘટનાનો આજે 16મો દિવસ
- અત્યાર સુધીમાં 68 મૃતદેહો મળ્યા
- સૈન્ય સહિત વિવિધ એજન્સીઓનું સંયુક્ત બચાવ અને સર્ચ ઓપરેશન ચાલુ
ચમોલી: ઉત્તરાખંડના ચમોલીમાં ઋષિ ગંગાની દુર્ઘટના બાદથી તપોવન ટનલમાંથી કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. અહીં ગુમ થયેલા લોકોને શોધવા માટે NDRF જવાન વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. રૈણીમાં પણ ઋષિ ગંગામાં ગુમ થયેલા લોકોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
16 દિવસે રેસ્કયૂ દરમિયાન 68 મૃતદેહો મળ્યા
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટવાના કરાણે ઋષિગંગા ઘાટીમાં અચાનક વિકરાળ પૂર આવ્યું હતુ. ત્યારે આ દુર્ઘટનામાં 16માં દિવસે પણ બચાવ કામગીરી ચાલી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં 68 મૃતદેહો મળી આવ્યા છે.