જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારના મકાનમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો
જામનગર

જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારના સંઘાડિયા બજારમાં આવેલા રહેણાંક મકાનમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

  • ત્રણ દિવસથી ઘરમાંથી બહાર નીકળ્યા ન હતાં
  • અસહ્ય દુર્ગંધના આધારે 108ની ટીમ સ્થળ પર પહોંચી
  • પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો

જામનગર: બર્ધન ચોક વિસ્તારમાં સંઘાડિયા બજારમાં આવેલા એક મકાનમાં રહેતા અને એકલવાયુ જીવન જીવતા ગીતાબેન જયદેવભાઈ જોશી નામના વૃધ્ધા તેમના ઘરમાંથી બહાર નીકળ્યા ન હતાં. વધુ તપાસ કરતાં ઘરમાંથી વૃધ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો.

108ની ટીમને કરવામાં આવી હતી જાણ

ત્રણ દિવસ થવા છતાં વૃદ્ધા ઘરમાંથી બહાર નીકળ્યા ન હતાં. મકાનમાંથી દુર્ગંધ આવતા આ અંગેની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી. 108ની ટીમે સ્થળ પર તપાસ કરતા વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી આ બનાવ અંગે પોલીસમાં જાણ કરાઈ હતી. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.