સિન્થેટિક ડાયમન્ડનું હબ બનશે સુરત, જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન ‘સુરત સ્પાર્કલ– 2021’નો આજથી શુભારંભ
સિન્થેટિક

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આજથી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન’ સુરત સ્પાર્કલ– 21નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

  • જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન’
  • ચેમ્બર દ્વારા બી ટુ બી ધોરણે એકઝિબિશનનું આયોજન
  • એકઝિબિશનમાં ખાસ સિન્થેટિક ડાયમંડ

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આજથી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન’ સુરત સ્પાર્કલ– 21નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એકઝિબિટર્સ અને બાયર્સને સીધો બિઝનેસ મળી રહે તે માટે આ વખતે પણ ચેમ્બર દ્વારા બી ટુ બી ધોરણે એકઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. એકઝિબિશનમાં ખાસ સિન્થેટિક ડાયમંડ

સિન્થેટિક ડાયમન્ડનું હબ બનશે સુરત,
સિન્થેટિક ડાયમન્ડનું હબ બનશે સુરત,

સ્પાર્કલ પ્રદર્શનનો ઉદ્દઘાટન સમારોહ પ્લેટીનમ હોલ ખાતે યોજાયો હતો. સ્પાર્કલનું ઉદ્‌ઘાટન જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના ચેરમેન કોલીન શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્‌ઘાટન સમારોહમાં દુબઇ સિટી ઓફ ગોલ્ડના વાઇસ ચેરમેન ચંદુભાઇ સિરોયા મુખ્ય મહેમાન તરીકે તથા જૂનાગઢના ભીંડી જ્વેલર્સના માલિક જિતેન્દ્ર ભીંડી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનુભાઇ વેકરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય વિધિની સાથે સમારોહની શરૂઆત કરવામાં આવી હતી. ત્રણ દિવસ માટે યોજાયેલું પ્રદર્શન તા. 22 ફેબ્રુઆરી સુધી સવારે 10થી સાંજે 6 કલાક સુધી ખૂલ્લું રહેશે.

સિન્થેટિક ડાયમન્ડનું હબ બનશે સુરત,
સિન્થેટિક ડાયમન્ડનું હબ બનશે સુરત,

ભારતની કુલ જીડીપીમાં 7 ટકા જેટલો હિસ્સો જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રનો છે

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, સુરતમાં યોજાતું સ્પાર્કલ પ્રદર્શનએ ભારતમાં જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રે યોજાતા એકઝિબિશનોમાં એક આગવું સ્થાન ધરાવે છે. ભારતમાં યયવક પછી જેમ્સ એન્ડ જ્વેલરી માટે મોટું અને મહત્વનું યોજાતું એકઝિબિશન હોય તો તે સુરત સ્પાર્કલ છે. ભારતની કુલ જીડીપીમાં 7 ટકા જેટલો હિસ્સો જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રનો છે તથા આ ક્ષેત્ર રોજગારલક્ષી અને વિદેશી હૂંડિયામણ કમાવી આપતું ક્ષેત્ર હોવાથી ભારતના અર્થતંત્રમાં ખૂબ મોટું મહત્વ ધરાવે છે. લોકડાઉન બાદ નવેમ્બર, 2020ના મહિનામાં ભારતથી થતા ડાયમંડ એક્‌સપોર્ટમાં લગભગ 53 ટકાનો પાછલા વર્ષની સરખામણીમાં ઉછાળો આવ્યો છે, જે નોંધ લેવા જેવી બાબત છે.

થ્રીડી ઇમેજિંગ સોફ્‌ટવેરમાંથી સીધી જ જ્વેલરી પ્રિન્ટ કરી શકશે

તેમણે વધુમાં કહ્યું હતું કે, ડાયમંડ ક્ષેત્રે હવે ભારત પણ સિન્થેટિક ડાયમંડ બનાવવામાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને આજના આ એકઝિબિશનમાં ઘણા લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકોએ ભાગ લીધો છે. જેનો લાભ એકઝિબિટર્સ તથા અન્ય વેપારીઓને મળી રહેશે. જ્વેલરી ક્ષેત્રે પણ વેક્‌સ મોલ્ડની જગ્યાએ થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજી આવી ગઈ છે કે, જે થ્રીડી ઇમેજિંગ સોફ્‌ટવેરમાંથી સીધી જ જ્વેલરી પ્રિન્ટ કરી શકશે અને આનાથી બનતા પ્રોડકટની ગુણવત્તા પણ સુધરશે.

બિઝનેસ માટેનું આખું નેટવર્ક ઉભું કરી શકાય છે

જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના ચેરમેન કોલીન શાહે જણાવ્યું હતું કે, કોઇપણ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે તેમજ ઉદ્યોગકારો માટે એકઝીબીશન ખૂબ જ મહત્વનું હોય છે. એકઝિબિશનમાં જ નવા બાયર્સ મળે છે અને સપ્લાયરની સાથે મીટિંગ પણ કરી શકાય છે. બિઝનેસ માટેનું આખું નેટવર્ક ઉભું કરી શકાય છે અને નોલેજ પણ વધારી શકાય છે. એકઝિબિશનમાં જુદા–જુદા પ્રોડકટ વિશે માહિતી મળે છે અને તેને આધારે ઉદ્યોગકારો પોતાની પ્રોડક્ટને વધુ સારી બનાવી શકે છે. બિઝનેસ પાર્ટનર્સ માટે પણ એકઝિબિશન જરૂરી છે, ત્યારે સુરત સ્પાર્કલ થકી જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રના ઉદ્યોગકારોને ચોકકસપણે વધુ લાભ મળી રહેશે.

સુરતના લોકોએ ડાયમંડ થકી આખા વિશ્વને કાબૂમાં કર્યું

દુબઇ સિટી ઓફ ગોલ્ડના વાઇસ ચેરમેન ચંદુભાઇ સિરોયાએ જણાવ્યું હતું કે, સુરતના લોકોએ ડાયમંડ થકી આખા વિશ્વને કાબૂમાં કરી લીધું છે. ખૂબ જ સારા મેન્યુફેકચરર્સ સુરતમાં છે. હવે તો નેચરલ ડાયમંડની સાથે સિન્થેટીક ડાયમંડ પણ માર્કેટમાં આવી ગયા છે ત્યારે ભારતમાં કુલ 4 લાખમાંથી 1 લાખ સિન્થેટીક ડાયમંડ એકમાત્ર સુરતમાં કટ એન્ડ પોલીશ્ડ થાય છે. ભારત પાસે હેન્ડ મેડ જ્વેલરીની જે કલા છે તે વિશ્વમાં કોઇની પાસે નથી, જેને સમગ્ર વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી શકાય છે. પણ એના માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની જરૂર છે. ઓનલાઇન સિસ્ટમ થકી જ આ બાબત શકય થઇ શકશે. તેમણે કહયું કે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસથી 80 ટન જ્વેલરી દુબઇથી એકસપોર્ટ થાય છે.

આડકતરી રીતે 12 કરોડ લોકોને રોજગારી આપી રહ્યાં છે

જૂનાગઢના ભીંડી જ્વેલર્સના માલિક જિતેન્દ્ર ભીંડીએ જણાવ્યું હતું કે, નેતૃત્વ કરનારની સાથે સમુદાય જોડાય ત્યારે ઇન્ડસ્ટ્રી તથા તેની સાથે દેશની કાયાપલટ થઇ જાય છે. જેનો દાખલો આજથી યોજાયેલું સુરત સ્પાર્કલ પ્રદર્શન છે. ડાયમંડ તથા જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્ર સીધી કે આડકતરી રીતે 12 કરોડ લોકોને રોજગારી આપી રહયાં છે. ટેકનોલોજીની દૃષ્ટીએ વિશ્વના અન્ય દેશો, ભારત કરતા આગળ છે પણ હેન્ડ મેડ જ્વેલરી માત્ર ભારતની સર્વશ્રેષ્ઠ છે. સમગ્ર વિશ્વ ભારતની હેન્ડ મેડ જ્વેલરીને ચેલેન્જ નહીં કરી શકે. એમાં પણ ગૌરવની વાત એ છે કે હેન્ડ મેડ જ્વેલરી ગુજરાતમાં બને છે. ચેમ્બર માટે ખૂબ જ સારી બાબત છે કે જુદા–જુદા ટ્રેડના પ્રમોશન અને ડેવલપમેન્ટ માટે એ મહેનત કરે છે.

100 જેટલા જ્વેલરી મેન્યુફેકચરર્સે ભાગ લીધો

ચેમ્બરના ગૃપ ચેરમેન જયંતિ સાવલીયાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શનમાં નેચરલ ડાયમંડ એન્ડ જ્વેલરી મેન્યુફેકચરર્સ, સિન્થેટીક ડાયમંડ એન્ડ મશીનરી મેન્યુફેકચરર્સ, સમગ્ર હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ ઉત્સાહ દાખવ્યો છે. સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસિએશનના સહયોગથી 100 જેટલા જ્વેલરી મેન્યુફેકચરર્સે ભાગ લીધો છે. આમ કુલ 150 થી વધુ એકઝીબીટર્સ દ્વારા લુઝ ડાયમંડ, ડાયમંડ જ્વેલરી, મશીનરી અને સિન્થેટીક ડાયમંડનું પ્રદર્શન થઇ રહયું છે. તેમણે ચેમ્બર દ્વારા ભવિષ્યમાં યોજાનારા અન્ય એકઝિબિશનોની પણ ટૂંકમાં માહિતી આપી હતી.

સુરતથી રોજના ડાયમંડ જ્વેલરીના 150થી 200 પાર્સલ એકસપોર્ટ

સુરત સ્પાર્કલ પ્રદર્શનના ચેરમેન વિજય માંગુકીયાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલમાં આ વખતે માઇન્સ ટુ માર્કેટનો કોન્સેપ્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં માઇન્સમાંથી રફ હીરા નીકળ્યા બાદ તેને કટ એન્ડ પોલીશ્ડ કરીને જ્વેલરીમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે? ત્યાં સુધીની આખી પ્રક્રિયાનું લાઇવ બતાવવામાં આવી રહ્યું છે. સુરતના જ્વેલરી મેન્યુફેકચરર્સને એકસપોર્ટ ગોલ્ડ પરચેઝ કરવા માટે મુંબઇ કે અમદાવાદ જવું પડે છે. જ્યારે સુરતથી રોજના ડાયમંડ જ્વેલરીના 150થી 200 પાર્સલ એકસપોર્ટ થઇ રહયા છે. આથી સુરતમાં જ એકસપોર્ટ ગોલ્ડ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા માટે તેમણે જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના ચેરમેન કોલીન શાહને અનુરોધ કર્યો હતો.

ડાયમંડ જ્વેલરીને દુબઇમાં કેવી રીતે પ્રમોટ કરી શકાય?

તદુપરાંત તેમણે સુરતમાં બનતી ડાયમંડ જ્વેલરીને દુબઇમાં કેવી રીતે પ્રમોટ કરી શકાય? અને દુબઇના બાયર્સને સુરતમાં કેવી રીતે લાવી શકાય? તેના માટે મદદરૂપ થવા માટે દુબઇ સિટી ઓફ ગોલ્ડના વાઇસ ચેરમેન ચંદુભાઇ સિરોયાને વિનંતી કરી હતી.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.